Rajkot Congress Achivements

રાજકોટમાં ચૌધરી હાઈસ્કુલ ખાતે ઇન્દ્રનીલ રાજગુરુ અને કોંગ્રેસના અન્ય નેતાઓની જંગી જાહેરસભા..

 

રાજકોટ માં લોકશાહી માં લોકજાગરણ અંતર્ગત માટે યુવાનો એ બાઇક પર લોક જાગૃતિ ફેલાવાનું ચાલુ કર્યું

 

શ્રીમતી દર્શન ઈન્દ્રનીલ રાજગુરુ એ રાજકોટ વિધાનસભા 69 ના વિસ્તારો માં પદયાત્રા કરી ને ત્યાં રહેતા લોકો ની સમસ્યા જાણી હતી તેમજ લોકશાહી માં લોકજાગરણ અંગે જાગૃતિ ફેલાવી હતી

 

શ્રીમતી દર્શન ઇન્દ્રનીલભાઈ રાજગુરુ તથા શ્રી દિવ્યનીલભાઈ રાજગુરુ એ રાજકોટ ના અલગ અલગ વિસ્તારો માં લોકસંપર્ક કર્યો હતો

 

રાજકોટના પરિવર્તન અને નવસર્જનનો નવો અધ્યાય શરૂ, તા. ૨૦/૧૧/૨૦૧૭ના રોજ રાજકોટના દિલ ઇન્દ્રનીલભાઈ રાજ્ગુરૂએ લાખો રાજકોટવાસીઓના આશીર્વાદ અને અભિનંદન સાથે ઉમેદવારીપત્રક ભર્યું

 

શ્રી શક્તિભાઈ જોડે રાજકોટ માં પદયાત્રા કરીને વેપારીઓ તથા લોકો જોડે લોક સંપર્ક કરી તેમની સમસ્યા અને મુશ્કેલી ઓ અંગે ચર્ચા કરેલી

 

INDIA tv ચાઇ પે ચર્ચા કાર્યક્રમ માં live debate

 

રાજકોટ માં જનતાનો ઢંઢેરો બનાવવા માટે આધુનિક ભારતના પ્રણેતા અને ગૌરવવંતા ગુજરાતી શ્રી સામ પિત્રોડા ની સાથે વેપારીઓ તથા બધા નાગરિકો ના વાર્તાલાપ માં ભાગ લીધેલ. People’s Manifesto, આપની ઈચ્છા, અમારો સંકલ્પ!

 

તા. ૮/૧૧/૨૦૧૭ ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું

 

નોટબંધી ને આજે એક વર્ષ પૂરું થયું, ખોદયો ડુંગર અને ઉંદર પણ ના નીકળ્યો એવો ઘાટ સર્જાયો ત્યારે તેની નિષ્ફળતા અને સામાન્ય લોકો ને થયેલ હેરાનગતિ ને વાચા આપવા આજ ના દિવસ ને કાળા દિવસ તારીખે ઉજવ્યો

 

વોર્ડ નંબર  ૧ ના કાર્યાલય નું ઉદઘાટન અને કાર્યકરો નું સ્નેમિલન

 

જલારામ જયંતિ ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જલારામબાપા ની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું

 

તા. ૧૬/૧૦/૨૦૧૭ સોમવાર ના રોજ વોર્ડ નંબર ૧૦ ના કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન માનનીય શ્રી અર્જુન ભાઈ મોઢવાડીયા ના હસ્તે કરવામાં આવ્યું

 

રાજકોટ શહેરમાં જંકશન પ્લોટમાં ભાજપના વોર્ડ પ્રમુખે આચરેલી ગુંડા-ગર્દી અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ ની આગેવાનીમાં પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપવામાં આવ્યું તે સમયે તે વિસ્તાર ના લોકો તેમજ કોંગ્રેસ ના કોર્પોરેટરો, ફન્ટલ/સેલના પ્રમુખો, વોર્ડ ના પ્રમુખો, વિવિધ હોદેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

 

તા.૪-૧૦-૧૭ બુધવાર સવારે ૧૦:૩૦કલાકે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારા સામે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ ની આગેવાનીમાં સ્કુટર રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તેમાં વિરોધ પક્ષના નેતા, તથા કોપરેટર શ્રી ઓ,તથા ફન્ટલ/સેલના પ્રમુખો , શહેર સમિતિના હોદેદારો, શહેર કોંગ્રેસનાઆગેવાનો વોર્ડ પ્રમુખો તથા વોર્ડ ના હોદેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

રાજકોટ શહેરમાં રાહુલ ગાંધી નવરાત્રા ગરબા ઉત્સવમાં પહોંચ્યા . જગત જનીની માતા દુર્ગા ની આરતીનો લાભ લીધો


 

શહેરભરમાં નર્મદાનો રથ ફરી રહ્યો છે ઠેર-ઠેર ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા નર્મદા રથનું સ્વાગત કરવામાં આવે છે પરંતુ કેટલાક વિસ્તરોમાં નાની-મોટી સમસ્યાનો નિકાલ નહિ થતા લોકોનો વિરોધ પણ થઇ રહ્યો છે વોર્ડ – ૧૩ માં કોંગ્રેસના નગર સેવીકાએ ભાજપના ધારાસભ્ય પર ગંદુ પાણી રેડી લોક રોષને વાચા આપી હતી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

વોર્ડ – ૧ ના સ્થાનિક લોકોએ કોર્પોરેશન સામે અને સરકાર સામે આક્રમક દેખાવો કર્યા હતા અને નીભ્ભર અને બહેરા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો વોર્ડ – ૧ ના દ્વારકેશ પાર્ક, વાસવાણી રોડ, મારવાડી વાસ, મણીનગર, શાંતિનિકેતન, ગાંધીગ્રામ, ધરમનગર આવાસ યોજના અને એક.કે ચોકમાં લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિકાસ ગાંડો થયો છે. રોગચાળો ફાટી નીકળ્યો છે ગાબડાને કારણે લોકોની કમર તૂટી રહી છે, રોગચાળો વકર્યો છે સહીતના પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

ધારાસભ્ય અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ દ્વારા “ટીમ ઇન્દ્રનીલ ફોર યુ” ના નામથી જન જાગૃતિ જુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત તા. ૧૧/૦૯/૨૦૧૭ ના રોજ મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની સહિતના અધિકારી કર્મચારીઓ ને ‘ફરજ નિષ્ઠા’ અંગેની વિસ્તૃત પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

તા. ૦૬/૦૯/૨૦૧૭ ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી માન. શ્રી રાજીવ સાતવજી તથા પ્રદેશ કોંગ્રેસ મીડિયા કમિટીના ચેરમેન માન. શ્રી શક્તિસિંહજી ગોહિલની ઉપસ્થિતિમાં જીત નિશ્ચિત સમેલન રાખવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શ્રી પરેશભાઈ ધાનાણી (કાર્યકારી ઝોન પ્રમુખ,GPCC) અને શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ(રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ) નું સન્માન કરવામાં આવ્યું હતું.

 

તા. ૨૮/૦૮/૨૦૧૭ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે રાજકોટનાં પૂર્વ સાંસદ શ્રી કુંવરજીભાઈ બાવળીયાની નિમણુક થતા તેઓનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય શ્રી રાહુલગાંધીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી તરીકે ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરૂની નિમણુક જાહેર થતા નવનિયુક્ત પ્રમુખશ્રીનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

જન્માષ્ટમી ના દિવસે “રથયાત્રા” નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

 

રાજ્યસભાની ચુંટણીમાં દેશના ધરોહર સમા નેતા માનનીયશ્રી અહેમદભાઈ પટેલને વિજય પ્રાપ્ત કરાવી, આજે રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ પરત ફરી રહેલ હોય તેમનું રાજકોટ શહેર કોંગ્રસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

 

રાજકોટ શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા અમરનાથ યાત્રાએ જતા ગુજરાતીઓ પર થયેલ ક્રુર આતંકી હુમલામાં મુત્યુ પામેલ મૃતકોને કેન્ડલ-માર્ચ કરીને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યૉજવામાં આવેલ હતૉ.રાજકૉટનાં જીલ્લા-પંચાયત ચૉક ખાતેથી નીકળેલી આ વિશાળ પદયાત્રા માં હાથમાં મિણબતી લઇને મૃતકૉને શ્રધ્ધાંજલી અર્પવા રાજકોટ શહેર કૉંગ્રેસનાં આગેવાનૉ અને રાજકોટનાં નાગરિકો મૉટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં અને મૃતકૉનાં આત્માને પરમકૃપાળુ પરમેશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના કરેલ હતી.રાજકોટ શહેર કૉંગ્રેસ આયૉજીત આ “શ્રધ્ધાંજલી-અર્પણ” કાર્યક્રમમાં રાજકોટ શહેર કૉંગ્રેસ પ્રમુખશ્રી,ધારાસભ્યશ્રી,કૉંગ્રેસી આગેવાનો,કૉર્પૉરેટરૉ,શહેર કૉંગ્રેસનાં હૉદેદારૉ,તમામ પાંખનાં આગેવાનો,તમામ વૉર્ડનાં આગેવાનો તથા શહેરીજનૉ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં

 

સંદેશ ન્યુઝ દ્વારા લાઈવ ડીબેટ

 

રાજકોટમાં નર્મદા નીરનું આગમન થતાં તેના વધામણાં માટે દેશના વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે ત્યારે સરકારી ખર્ચે ખોટા તાયફાઓ કરી પ્રજાના પૈસા વેડફી રહ્યા છે તેની સામે વિરોધ પ્રદર્શિત કરવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્કુટર રેલી નું આયોજન કરવામાં આવેલ.

 

૧ મેના રોજ કોંગ્રેસ પરિવાર દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા સાયકલ યાત્રા અને દેશ-ભકિત ગીતોનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

   

 

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન અધિકાર રેલી

   

 

 છેલ્લા કેટલાંય સમયથી આંદોલન પર બેસેલી આગંણવાડીની બહેનો તેમજ આશાવર્કર બહેનોની છાવણીની મુલાકાત ધારાસભ્ય ઈન્દ્રનિલભાઈ રાજ્યગૂરૂ એ લીધી હતી. તેમજ તમામ બહેનોને આશ્વાસન પણ આપ્યુ હતુ. તેમજ તેમની લડાઈમાં પ્રદેશ કોંગ્રેસની ટીમ તેમજ રાજકોટ કોંગ્રેસની ટીમ તેમની સાથે હોવાનુ પણ જણાવ્યુ હતુ.

    

 

મોદીજીએ દેશની પ્રજાને ઠાલા વચનો સિવાય કાંઈ આપ્યું નથી : ઇન્દ્રનીલભાઈ રાજગુરુ દ્વારા જનજાગૃતિ રેલી

   

 

શિક્ષણમાં C.B.S.E. કૌભાંડ આચરવાનું સરકાર બંધ કરે.ધારાસભ્યશ્રી ઇન્દ્રનીલ રાજગુરુ તથા NSUI – યુથ કોંગ્રેસ દ્વારા કલેકટરશ્રી તથા પોલીસ કમિશનરને ધારદાર રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં અવિયું હતું.

   

 

મોંઘવારી જનાક્રોશ સાયકલ યાત્રા રાજકોટ થી અમદાવાદ

   

 

બેંકની લાઈનમાં ઉભેલા લોકોની પીડા અને હાલાકીને ધ્યાનમાં લઈને રાજકોટ શહેરના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા તેઓને પાણી પાવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું.